Breaking News
પાટનગર દિલ્હી સહિત દેશમાં ગરમી યથાવત્ ઃ ચુરુમાં ૪૭ ડિગ્રી * * * કાશ્મીરમાંં ભૂકંપના આંચકાઓથી ૬૦,૦૦૦ મકાનોને નુકસાન * * * ચીનના વડાપ્રધાન સાથે આજે મનમોહનની ચર્ચા * * * IPL ફિક્સિંગ ઃ પૂર્વ રણજી ખેલાડી અને બે બૂકીની ધરપકડ * * * ઈમેઈલ હેક કરી લંડન બેન્કમાંથી ૨૨ હજાર ડોલરની ઠગાઈ
Dharmlok
  • Thursday
  • May 16, 2013

Dharmlok Top Story

વિચાર-વીથિકા - દેવેશ મહેતા

વિચાર-વીથિકા - દેવેશ મહેતા

May 16 at 12:00am

ભારતના મહાન સંતોમાં સંત કબીરનું નામ અગ્રગણ્ય છે. સંત કબીર કોઈ જાતિભેદ કે વર્ણભેદમાં માનતા નહોતા. તે હંમેશાં કહેતા કે ચારે વર્ણમાં જે હરિનું ભજન કરે તે ઊંચો. 'હરિકો ભજે સો હરિકો હોઈ, જાત પાત પૂછ નાહીં કોઈ' કબીરના ગુરુ રામાનંદ કહેતા - 'ધૂપ ચંદન લઈને હું બ્રહ્મની પૂજા કરવા જતો હતો, પણ મારા ગુરુએ બતાવ્યું કે બ્રહ્મ તો તારી અંદર જ છે !' કબીરે પણ એમના ગુરુના આ જ્ઞાાનોપદેશને પ્રસાર્યો. જે મનને નિર્મળ અને નિર્વિકાર રાખી પ્રેમમય બની પ્રભુ
વૈરાગ્યમેવાભયમ્ (૩)

વૈરાગ્યમેવાભયમ્ (૩)

May 16 at 12:00am

ધર્મકાર્ય કરવાની વાત આવે અને આવતીકાલ રેશમ જેવી સુંવાળી લાગી આવે છે... અને કહીએ છીએ કે કાલ કરશું... પણ ! આત્મન્ ! પ્રમાદના પનારે કાં પડે ! આળસને કાં પંપાળે ? અરે ! ધર્મકાર્ય તો આવતીકાલે કરવાનું હોય તે ય જલ્દી આજે જ કરી નાખવું જોઈએ... અરે ! આત્મન્ ! તે માટે તો સવારના બદલે બપોરની પણ પ્રતીક્ષા કરવા જેવી નથી...! કોઈની ય રાહ જોયા વિના તુર્ત જ ધર્મકાર્ય તો કરી જ લેવું જોઈએ... સમયનો ભરોસો રાખ મા.
પૂજાઘર શાસ્ત્રીય મહત્ત્વ અને રચના

પૂજાઘર શાસ્ત્રીય મહત્ત્વ અને રચના

May 16 at 12:00am

પૂજાઘર કઈ દિશામાં હોવું જોઈએ ? પૂજાઘર હંમેશા પૂર્વ પશ્ચિમ દિશામાં હોવું જોઈએ. પૂજાઘરનું મુખ પૂર્વ દિશામાં રાખવાથી દેવતાઓ દ્વારા પ્રક્ષેપિત થનારી લહેરો પૂર્વમાં સંપુટિત રહેનારા પોલાણમાં રહેલી ક્રિયાશક્તિના બળ પર ગતિમાન થાય છે. તેથી દેવતાની નિર્ગુણ અપ્રકટ લહેરોનું પ્રકટ એવી સગુણ લહેરોમાં રૃપાંતર કરવામાં મદદરૃપ થાય છે. પૂર્વ-પશ્ચિમ દિશા સાથે સંલગ્ન રહેનારી બ્રહ્માંડની ક્રિયાશક્તિ જે વખતે દે
ખેલતાં જો આવડે તો, જીંદગી એક ખેલ છે

ખેલતાં જો આવડે તો, જીંદગી એક ખેલ છે

May 16 at 12:00am

તમે જીવન કોને કહો છો? ખાવું-કમાવું, વિવાહ-લગ્ન, લેણ-દેણ, વ્યવહાર-વ્યાપાર વગેરે સાધારણ ક્રમોને પૂરા કરતાં કરતાં મૃત્યુ સુધી પહોંચી જવું, બસ શું આજ જીવન છે? તમો આના માટે જ જીવો છો? તમારી જીંદગીનું લક્ષ્ય શું છે? એક આજીવિકાનાં સાધનો ભેગાં કરવાં, એક પરિવાર વસાવવો અને બાળકોનું પાલન પોષણ કરીને તેમના વિવાહ-લગ્ન કરી દેવા એ જ સાધારણ રીતે લોકોએ જીવનલક્ષ્ય માની લીધું છે. પરંતુ જીવનનું આ અંતિમ લક્ષ્ય ન હોવું જોઈએ. અંતિમ લક્ષ્ય તો કાંઈક સર્વત્તોમ પ્રાપ્ત કરવું. જે બીજા કોઈએ નથી કર્યું તેવું પ્રાપ્ત કરવું. જે
દોષનો ટોપલો 'દેવ'ને માથે નાખી ચાલાક માનવી કહે છે ઇશ્વરને ગમ્યુ તે ખરૃ

દોષનો ટોપલો 'દેવ'ને માથે નાખી ચાલાક માનવી કહે છે ઇશ્વરને ગમ્યુ તે ખરૃ

May 16 at 12:00am

જયરામભાઇ બીમાર હતા અચાનક મરી ગયા તેમના બેસણાનો પત્ર જુઓ, શ્રીમાન મહાશય દુઃખ સાથે જણાવવાનું કે અમારા પિતાશ્રી જયરામભાઇ કારતક સુધી બારશને દિવસ દેવલોક પામ્યા છે. તેમનું બેસણું રવિવારે સાંજે ૪ થી ૬ સમયે રાખેલા છે. ''ઇશ્વરને ગમ્યુ તે ખરૃ'' લગભગ દરેક અશુભ પત્રની છેલ્લી લીટીમાં આ વાક્ય જરૃર વાંચવા મળે ''ઇશ્વરને
ભગવાન ક્યાં મળે ? કેમ મળે ? ક્યારે મળે ?

ભગવાન ક્યાં મળે ? કેમ મળે ? ક્યારે મળે ?

May 16 at 12:00am

ઉપરોક્ત પ્રશ્નોના પ્રત્યુત્તરમાં આપણા સંતો શાસ્ત્રકારો વર્ણવે છે કે ભગવાન તો ભક્તજનના પ્રેમના ભૂખ્યા છે. તેઓ આપણા અંતરમાં જ મળે. કોઈ પણ સમયે મળી શકે છે. વાસના રહિત અવસ્થાથી મળે. પ્રત્યેક મનુષ્યના હૃદયના ખૂણામાં એક ખાલી જગા રહેલી છે જે માત્ર ભગવાન જ પૂરે છે. ભગવાન અને તેમની દિવ્યતા-ભવ્યતા હંમેશ માનવીની સાથે હોય છે. પરંતુ આપણે
ભક્ત - ભક્તિ - ભગવાન

ભક્ત - ભક્તિ - ભગવાન

May 16 at 12:00am

ભગવાનને પામવાનો સરળ માર્ગ છે કે તેમની ભક્તિ કરવી. જીવનના અમૃતરસનું બીજું નામ છે ભક્તિ. પરમાત્મામાં અહોભાવ ભક્તિરૃપી સાધન દ્વારા આવે છે. આ સૃષ્ટિ રચના પાછળનો પરમાત્માનો હેતુ સ્પષ્ટ છે. આત્માનો ગુણધર્મ ફક્ત આનંદ છે. પરમાત્મા તો આનંદરૃપ છે. તેથી પરમાત્માના અંશ તરીકે આપણે મનુષ્યોનો આત્મા પણ તેના નિજગુણધર્મ પ્રમાણે આનંદમાં જ રહેવા સર્જાયેલો છે. એટલે આનંદ એ સૃષ્ટિનું રસાયન છે. આ આનંદ પરમાત્મા એકલાને મળે એ તેમને યોગ્ય ન જણાતાં, આનંદની
આંખ છીપ, અંતર મોતી - આચાર્યશ્રી 'વાત્સલ્યદીપ' સૂરિજી

આંખ છીપ, અંતર મોતી - આચાર્યશ્રી 'વાત્સલ્યદીપ' સૂરિજી

May 16 at 12:00am

ઘર ઘરમાં આનંદ છવાયો ઘર ઘરમાં આનંદ ત્રિશલા માતા કુખે જનમિયો, જાણે પૂનમનો ચંદ ! ધરતીના ઊંડાણમાંથી જગતને પાવન કરતી અનેરી ધૂપ સુગંધ પ્રકટી. કુંજ કુંજમાં કોયલ ટહુકી રહી. રંગબેરંગી પુષ્પોના હૈયા જાણે હિલોળે ચડયા. પંખી વૃંદ મંજુલ કંઠે ગાયન ગાવા માંડયું. પિતા સિદ્ધાર્થ અને માતા ત્રિશલાના આનંદને સીમા નથી. રાજકુમાર વર્ધમાનનો જન્મ થયો છે. રાજકુમાર નંદીવર્ધન અને રાજકુમારી સુદર્શના પોતાના ભાઈને નિરખતા ધરાતી નથી. પ્રિયંવદા દાસી
આકાશની ઓળખ - કુમારપાળ દેસાઇ

આકાશની ઓળખ - કુમારપાળ દેસાઇ

May 16 at 12:00am

હળાહળ વિષ અને સંજીવનીરૃપ અમૃત એકસાથે રહી શકે ખરા? પ્રપંચ અને શઠતાની પડખોપડખ પ્રેમ અને સ્નેહ જીવી શકે ખરા? કુટિલ રાજનીતિની પાસે કુટુંબની હૂંફાળી ભાવના વસી શકે ખરી? આમ તો આ શક્ય ન લાગે, પણ હસ્તિનાપુરના રાજમહેલમાં આ અસંભવ સંભવ બન્યું હતું! જે મહેલમાં ભીષ્મના મૌનના ભેદી ભણકારા વાગતા હોય, જ્યાં ધૃતરાષ્ટ્રના ચિત્તમાંથી દ્વેષનો ડંખ સર્વત્ર અજંપાનું વાતાવરણ સર્જતો હોય, શકુનિ પાંડવોના પરાજ્ય માટે કોઈને કોઈ પ્રપંચના પાસાં ખેલતો હોય અને દુર્યોધનનો અહંકાર અને અટ્ટહાસ્ય સદા ગાજતા હોય એવા
મીની ડાકોર સમાન મરોલીનું રણછોડધામ

મીની ડાકોર સમાન મરોલીનું રણછોડધામ

May 16 at 12:00am

સુરતથી દક્ષિણે ૨૫ કિલોમીટરના અંતરે આવેલા અને નવસારીથી ઉત્તરના ૧૦ કિલોમીટરના અંતરે મરોલી સ્ટેશન નજીક ઐતિહાસિક અને ભવ્ય રણછોડરાયનું અલૌકિક મંદિર નિર્માણ થયું છે. આઠ દાયકા પહેલા ૧૯૩૦માં મહાત્મા ગાંધીજીએ કસ્તુરબા સેવાશ્રમનો પાયો નાંખ્યો હતો. આમ તો મરોલી એટલે ગાંડાની હોસ્પિટલથી ભારતભરમાં પ્રખ્યાત બની ગયું. દેશભરમાં માનસિક રોગના દર્દીઓ મરોલી ખાતે આવે છે. જો કે, આજે મરોલી સ્ટેશન નજીક ઐતિહાસિક રણછોડરાય ભગવાનના દર્શન કરવા માટે શ્રદ્ધાળુઓ વાહન વ્યવહાર, રેલવે અને પદયાત્રાથી આવતા થયા છે

Dharmlok  News for May, 2013