Last Updated:03 September 2010 11 : 53 Friday

-->
ravi.jpg
શ્રીલંકાના પ્રશ્ને કેન્દ્ર પર દબાણ લાવવા તમિળ સાંસદો રાજીનામાં આપશે છાપો ઈ-મેલ
રાષ્ટ્રીય સમાચાર
આના લેખક છે GS NEWS   
બુધવાર, 15 ઓક્ટોબર 2008
Imageકરૃણાનિધિએ કેન્દ્રને પંદર દિવસની મુદત આપી

કેન્દ્ર સરકાર આગામી બે સપ્તાહમાં શ્રીલંકામાં સીઝફાયર (યુદ્ધ તહકૂબી) નહીં કરાવે તો તામિલનાડુના તમામ સંસદસભ્યોએ રાજીનામાં આપવા એવો ઠરાવ તામિલનાડુના મુખ્યપ્રધાન મુથુવેલ કરૃણાનિધિની આગેવાની હેઠળ આજે અહીં મળેલી બેઠકમાં નિર્ણય લેવાયો હતો.

એનો અર્થ એવો છે કે કેન્દ્ર સરકારના પ્રધાનો અને રાજ્યસભાના સભ્યો રાજીનામું આપશે ? એવા સવાલના જવાબમાં કરૃણાનિધિ બોલી ઉઠયા કે શું પ્રધાનો સંસદસભ્ય નથી ? પહેલા સંસદસભ્ય છે પછી પ્રધાન થયા.
શ્રીલંકામાં નિર્દોષ તામિળોની હત્યા થઈ રહી છે તેના વિરોધમાં સમગ્ર રાજ્યમાં જે લાગણી પ્રવર્તી રહી છે એનો પડઘો અમારા આ સામૂહિક ઠરાવમાં પડે છે એમ કરૃણાનિધિએ કહ્યું હતું.

લોકસભામાં તામિલનાડુના ૩૯ અને પુડુચેરીનો એક સાંસદ છે. રાજ્યના તમામ પક્ષોના નેતાઓ લોકસભામાં પ્રતિનિધિત્વ ધરાવે છે. એકમાત્ર મરૃમલાચ્ચી દ્રવિડ મુનેત્ર કળગમનો એક પણ સભ્ય સાંસદ નથી. જો કે બેઠકમાં આ પક્ષના બે સભ્યો હાજર હતા અને એ બંને એ આજના ઠરાવને ટેકો આપ્યો હતો.

તામિલનાડુ અને પુડુચેરીના તમામ સાંસદો રાજીનામું આપે તો ૨૨ જુલાઈએ ૧૯ મતોની સરસાઈથી વિશ્વાસનો મત જીતી ગયેલી કેન્દ્ર સરકાર લઘુમતીમાં મુકાઈ જશે.

 
< પાછળનુ   આગળનુ >
img2-subscription.jpgimg2-feedback.jpg