No account yet? Register | Lost Password?
  :: લાલુના સાળા સામે એફઆઇઆર નોંધાઇ   :: ભારતને મુશ્કેલી પડે એવું અમે કશું નહીં કરીએ ઃ ચીનની સફાઇ   :: એફબીઆઇએ પકડેલા બંનેને લશ્કરે તૈબા સાથે સંબંધ છે ઃ ચિદંબરમ   :: તાલિબાન સૂસાઇડ બોંબરોના ફોટાવાળા કેલેન્ડર પાકિસ્તાનમાં લોકપ્રિય   :: ચૂંટણી જીતવા નવાઝ શરીફ ‘કશ્મીર કાર્ડ’ ઊતર્યા   :: ગાદી બચાવવા યેદીયુરપ્પા પ્રધાનમંડળમાં ફેરફાર કરવા તૈયાર   :: રેગિંગ કરનારા ૨૮ વિદ્યાર્થીઓ બરતરફ   :: અમેરિકી લશ્કરી મથકમાં ગોળીબારઃ ૧૨ નાં મરણ   :: અમેરિકામાં પણ નિઠારી કાંડ ઃ ૧૧ મૃતદેહો મળ્યા   :: લોકોનો ચુકાદો માથે ચડાવીને કામ કરો ઃ અરુણાચલના ગવર્નરની શીખ   :: દેશનાં હિત વિરુદ્ધ કંઇ કરવા સામે રાજદની કેન્દ્રને ચેતવણી   :: કર્ણાટકમાં નેતાગીરી બદલાશે નહીં ઃ યેદીયુરપ્પા   :: કોબાડ ગાંધીનો નાર્કો ટેસ્ટ લેવા સામે હાઇકોર્ટનો સ્ટે   :: અંબાણી ભાઇઓનેા કેસ છોડતાં વધુ એક જજ   :: હૉસ્પિટલમાંથી રજા મળતાં તરત કોડાની ધરપકડ થઇ શકે છે   :: કશ્મીરના મુસ્લિમો લઘુમતી હિન્દુઓનું રક્ષણ કરે ઃચિદંબરમ   :: તાલિબાનથી ડર્યા વિના લંડનમાં ભવ્ય પાકિસ્તાન ફૅશન વીક   :: આજે હૈદરાબાદમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ડે-નાઇટ જંગ   :: સિડલ બાદ ઇજાગ્રસ્ત હેન્રીક્સ પણ ઓસ્ટ્રેલિયા પરત ફરશે   :: ઓસ્ટ્રેલિયાને ફીટ ખેલાડીઓ શોધવા મુશ્કેલી પડી રહી છે   :: પાકિસ્તાને ન્યુઝીલેન્ડને પ્રથમ વન ડેમાં ૧૩૮ રનથી હરાવ્યું   :: રણજી ટ્રોફીમાં ગુજરાતે ઓરીસ્સા સામે ૭૮ રનની સરસાઇ મેળવી   :: ઓસ્ટ્રેલિયામાં વધુ એક ભારતીય વિધાર્થી પર વંશિય હુમલો, હુમલાખોરોમાં યુવતીનો સમાવેશ   :: યુનિવર્સીટીનાં કેમેસ્ટ્રી વિભાગનો પ્રોફેસર ચોરીનાં વાહનોની લેવેચમાં પકડાયો   :: વિશ્વભરમાં મોબાઈલ ધારકોની સંખ્યા ચાર અબજ   :: જબલપુરમાંથી સિમીનાં ચાર શંકાસ્પદ સદસ્યોની અટકાયત   :: શાસ્ત્રીય સંગીતના વાજિંત્રોમાં યુવા પેઢીને રસ નથી   :: એન્ફોર્સમેન્ટ ડિપાર્ટમેન્ટે મધુ કોડાને સમન્સ મોકલ્યું   :: ઉત્તર પ્રદેશની ફિરોઝાબાદ બેઠકની પેટાચૂંટણીના કરોડપતિ ઉમેદવારો   :: અંબાણી ભાઇઓના કેસમંાથી ખસી જતા સુપ્રીમ કોર્ટના જજ   :: લાલવાદી રાજ્યોમાં માઓવાદીઓ દ્વારા બે દિવસનો બંધ   :: એ બંને ગેરકાયદે વસાહતીઓને ઘુસાડતા હતા ઃ એફબીઆઇ   :: પાકિસ્તાનના દાવાનો ભારત દ્વારા સ્પષ્ટ ઇન્કાર   :: મુંબઇના ઉપનગરમાં ગાંધીધામ એક્સપ્રેસ ખડી પડતાં ૧૨ ને ઇજા   :: ચીન બ્રહ્મપુત્રા પર બંધ બાંધી રહ્યાના પુરાવા મળ્યા   :: એ અમેરિકનનો હેતુ નેશનલ ડિફેન્સ એકેડેમી પર હુમલો કરવાનો હતો   :: મુસ્લિમોને વંદે માતરમ્ નહિ ગાવા ફતવો   :: રિઝર્વ બેન્કે IMF પાસેથી ૩૧૫ અબજમાં ૨૦૦ ટન સોનું ખરીદ્યું   :: કોડાએ સરકારી યોજનાઓમાંથી પણ રૃ.૩૦ કરોડની રોકડી કરી   :: ભારતમાં ફરી મુંબઈ જેવા ત્રાસવાદી હુમલાની સૈન્યના વડાની ચેતવણી   :: વડાપ્રધાનના સુરક્ષા કાફલાને કારણે કિડનીના દર્દીનું મૃત્યુ   :: શતાબ્દી ટ્રેનના એન્જિન નીચે કચડાતાં છ વ્યક્તિઓનાં મોત   :: મુંબઇવાસીઓ અન્ય ભારતીયો કરતાં ૭ વર્ષ વહેલા મૃત્યુ પામે છે   :: કટ્ટરવાદીઓના બંધને કારણે પંજાબમાં જનજીવન ખોરવાયું   :: ઉ.પ્રદેશના ચીફ સેક્રેટરીએ સુપ્રીમ કોર્ટની માફી માંગી   :: બાબરીધ્વંસ કટ્ટરવાદનું કૃત્ય હતું ઃ ચિદમ્બરમ   :: સંક્ષિપ્ત સમાચાર   :: યુરોપ પાછળ છેલ્લી ઘડીમાં શેરોમાં સાર્વત્રિક ધબડકો સેન્સેકસ ૪૯૧, નિફ્ટી ૧૪૮ પોઇન્ટ તૂટયા   :: સોનામાં રૃા. ૧૫૫નો ઉછાળો   :: મુખ્ય શેરોની વધઘટ.   :: વિવિધ ગંજબજારનાં ભાવ.   :: વિવિધ બજારો   :: છેલ્લા ભાવ   :: આઇએમએફ પાસેથી રિઝર્વ બેંકે અબજોનું સોનું ખરીદ્યું   :: ટેમ્પો અને બસ અથડાતાં બારનાં મરણ   :: સરહદ ઓળંગીને ઘુસી રહેલા આતંકવાદીને ઠાર કરાયો   :: ગુરગાવમાં સાત જણ ટ્રેન નીચે કપાયા ઃ લોકોએ ટ્રેન રોકી   :: હુજીના નેતાને છ દિવસની પોલીસ કસ્ટડી   :: ૧૯૮૪ના હુલ્લડો અંગે પંજાબમાં બંધઃજનજીવન ઠપ   :: ઇરાનની સરકારને અમેરિકાની માન્યતા   :: મોટેથી ગીતો વગાડનારા રિક્શા ડ્રાઇવરને જલાવી દીધો   :: ન્યૂમોનિયા માટે ફાળવાયેલી અડધો અડધ રકમ ભારત-ચીનમાં વપરાય છે   :: વઝિરિસ્તાનના હિંસક બનાવોમાં ભારતનો હાથ ઃ સાબિતી હોવાનો પાકિસ્તાનનો દાવો   :: ફરી 'વંદે માતરમ' પર પ્રતિબંધ લાદતા મુલ્લાઓ   :: સુપ્રીમ કોર્ટના તમામ ૨૧ જજ ટૂંકમાં જ સંપત્તિ જાહેર કરશે   :: ઓસ્ટ્રેલિયન મહિલાએ શાહરૃખ માટે ચંદ્ર પર જમીન ખરીદી   :: ભારતની અખંડિતતા પર ખતરો ઃ મોહન ભાગવત   :: જયપુરમાં IOCની બે ટેન્કમાં આગ હજુ કાબુમાં આવી નથી   :: આવકવેરા વિભાગે મધુ કોડાની સંપત્તિ સીલ કરવાનું શરૃ કર્યું   :: સંક્ષિપ્ત સમાચાર   :: ધોની અને હરભજન પોલીસને જાણ કર્યા વગર ફરવા ચાલ્યા ગયેલા   :: પાકિસ્તાન બોર્ડને નુકશાન વળતર પેટે રૃા. ૯૦ કરોડ જેટલી રકમ મળશે   :: આગામી આઠેક મહિના સુધી પાકિસ્તાન સામે ભારત રમે તેવી શક્યતા નથી   :: ન્યુઝીલેન્ડના કોચ મોલેસ સામે ટોચના ખેલાડીઓમાં ભારે અસંતોષ   :: પોન્ટીંગની બડાશ ઃ કેપ્ટન તરીકે મેં ઘણી બધી સિદ્ધિઓ મેળવી છે   :: અગાસીના ડ્રગ સેવન વિવાદમાં એટીપીના વલણની ઉગ્ર ટીકા કરી   :: ફોર્ડ મોટરે ૧૦૦ કરોડ ડોલરની ચોખ્ખી આવક નોંધાવતા યુ.એસ., યુરોપના શેરબજારોમાં મંદી અટકી   :: વિવિધ બજારો   :: આતંકવાદીને મોતને ઘાટ ઉતારી દેનાર બહાદૂર યુવતી રુખસાનાને પોલીસ વિભાગમાં નોકરી   :: આઈઓસીની આગથી ગુલાબી નગરી જયપુરનાં લોકોનાં સ્વાસ્થયને ખતરો   :: સિક્સર સ્પેશિયાલિસ્ટ યુવરાજસિંગની નવી સિદ્ધી   :: તામિલનાડુનાં પ્રસિદ્ધ મંદિરમાંથી ચોરાયેલું ઐતિહાસીક અને કિંમતી શિવલીંગ પાછું મળ્યું..!!   :: નક્સલવાદ સામે લડવા માટે સેનાને મેદાને નહીં ઉતારાય-રક્ષામંત્રી   :: પોલીસને થાપ આપીને ક્રિકેટરો ફરવા નીકળ્યા   :: મણીપુરમાં એક આતંકવાદી ઠાર   :: ઓઇલ ડેપોની આગ હજુ બુઝાઇ નથી   :: કશ્મીરી વીરાંગના રુખ્સાનાને પોલીસ અફસર બનાવવામાં આવી   :: ભારતથી આવેલા શીખ યાત્રાળુઓ માટે કડક સલામતી બંદોબસ્ત   :: પાકિસ્તાને હકીમુલ્લાહ મહેસૂદના માથા પર ૫૦ લાખ ડૉલરનું ઇનામ જાહેર કર્યું   :: ઓસ્ટ્રેલિયામાં નૌકા દુર્ઘટનામંા ૨૩નાં મોત   :: પાકિસ્તાનમાં રહેલા સ્ટાફને યુનોએ ખસેડી લીધો   :: રાવલપીંડીમાં બોંબ વિસ્ફોટ ઃ ૨૪નાં મરણ   :: જયપુરમાં IOCની ૧૧માંથી માત્ર ૪ ટેન્કમાં આગ બુઝાઈ   :: પૂણેમાં સ્વાઇન ફ્લૂથી મરણનો આંક ૯૬ પર પહોંચ્યો   :: આતંકવાદીઓ અને સિક્યોરિટી દળો વચ્ચે અથડામણ   :: અમેરિકી યુનિવર્સિટીઓ ભારતમાં આવવા ઉત્સુક છે ઃ સિબલ   :: યુનોના મહામંત્રીએ સ્ટાફની સુરક્ષા વધારવાની માગણી કરી   :: કાયર આતંકવાદીઓએ રુખ્સાનાના ઘર પર હુમલો કર્યો   :: બલુચિસ્તાનના હુમલામાં ભારતનો હાથ નથી ઃ હિલેરીની સ્પષ્ટતા   :: કેમ્બ્રિજ યુનિવર્સિટીએ બૂરખાને માન્યતા આપી, બોલો !
shat.jpg
અતિ પ્રાચીન - પ્રભાવશાળી અને શ્રી ભિલડીયાજી પાર્શ્વનાથજી તીર્થ.. Print E-mail
ધર્મલોક
Written by GS News   
Wednesday, 17 September 2008
શ્રી ભિલડીયાજી પાર્શ્વનાથજી તીર્થ

આ તીર્થ અને પ્રતિમાજીના અનેક ચમત્કારોની વાતો આજે પણ ચર્ચાય છે

tirth.jpgજેનાથી સંસાર સાગરમાં ડૂબતા ને ઉગારી લઈ મોક્ષ પહોંચાડે તેનું નામ તીર્થ. આ ન્યાયે દરેક પ્રતિમાજી અને દેરાસર તીર્થ છે. છતાં તીર્થ શબ્દ તીર્થંકરોના કલ્યાણકો થયા હોય અથવા ભાવને વિશેષ પ્રકારે ઉત્પન્ન કરનારી જયાં ખાસ વિશિષ્ટતા હોય ત્યાં જ રુઢ થયેલ છે.

આવું જ એક તીર્થ પાલનપુર થઈ ડિસાથી ૨૦-૨૫ કિલોમીટર દૂર આવેલ ભીલડીયાજી તીર્થ છે. ભીલડીયાજી પાર્શ્વનાથની પ્રતિમાવાળા દેરાસરને તીર્થ કહેવામાં આવ્યું છે. તેના સાનિધ્ય માત્રથી માણસના આત્મામાં અદ્ભૂત ભાવ, સમ્યકત્વથી જાગૃત કરવાની પ્રબળ ભાવના અસ્તિત્વમાં આવે છે.

અતિ પ્રાચીન શ્રી પાર્શ્વનાથજીની પ્રતિમા
અદ્ભૂત ચમત્કારભરી હોવાથી તેને ભીલડીયાજી પાર્શ્વનાથજી તરીકે ઓળખવામાં આવે છે અને તે પ્રતિમા સંપ્રતિ મહારાજાએ ભરાયેલી હોય તેમ જણાય છે.

બે બાજી કાઉસ્સગિયા શિખરબંધ દેવગૃહ ઉપર સમફણાધારી ધરવોદિ તથા નવગ્રહ, યક્ષ શાસન દેવતા વગેરેથી ખૂબજ સુશોભિત પરિકરમાં સાથે જ કોતરાયેલી આ પ્રતિમા શ્યામ, સુંદર ઘાટીલી અને આકર્ષક મન મોહી તથા દેદિપ્યમાન છે.

અતિ પ્રભાવશાળી જૈન પ્રતિમાની ગણના કરવામાં આવે છે.
આ તીર્થ અને પ્રતિમાના ચમત્કારો અંગે અનેક વાતો ચર્ચાય છે.
ભીલડીયાજી પાર્શ્વનાથજીની આ મૂર્તિ પ્રાચીન સમયમાં મંદિરમાં મુખ્ય ગાદી પર નહિં પણ ભોંયરામાં
 મૂળનાયકજી શ્રી નેમનાથ પ્રભુની મૂર્તિની ડાબી બાજુ ચોકીના ભારવટનીચે બિરાજમાન હતી. વિ.સ. ૧૮૭૨ અગાઉ ભીલડી ગામ વસ્યુ નહોતુ તે અગાઉ અત્રે નાશ પામેલ નગરના અવશેષવાળા નિર્જન અને ઝાડીયાળુ-ઉજ્જડ સ્થળ હતું. સરીપદ ગામના શ્રાવકોએ ભોંયરામાં જઈને જયારે પ્રતિમાજીને ગાદી ઉપરથી ઉત્થાપી અને ત્યાંથી બહાર કાઢવા માંડી ત્યારે તે ગભારાના બારણાના ઉપરના ભાગે અટકી પડે તે રીતે ઉંચાઈમાં વધી ગઈ, ત્યારે મોટા પ્રમાણમાં જંગલી ભમરા ઉડવાનો દેખાવ થયો. આથી શ્રાવકોએ માફી માગી અને પ્રતિમાજીને પોતાની અસલ જગ્યાએ ગોઠવી દીધી.

જુદા જુદા મંતવ્યો ને વિવિધ પુરાવા વચ્ચે અમુક અવશેષો અને આધારો વચ્ચે એક વાત જરૃર કહી શકાય કે અહિં મોટી નગરી હતી. તેમાં શ્રી પાર્શ્વનાથ જિનમંદિર પોતાના ચમત્કાર અને પ્રતાપથી અગ્રસ્થાને હતું. ચૌદમી સદીના મધ્ય ભાગ સુધી નગરીનો સૂર્ય સોળેકળાએ પ્રકાશતો હતો. ત્યાર પછી તે ગમે તે કારણસર નગરી નાશ પામી. તેમાંથી બચી શકયું માત્ર શ્રી પાર્શ્વનાથજીનું મંદિર - જો કે તેની હાલત ખંડિત હતી. શ્રી પાર્શ્વનાથજીની મૂર્તિ પણ ઉપરની મુખ્ય ગાદી પરથી ખસેડવામાં આવતા તે બચી શકી.
મુસલમાનોએ પાટણ ઉપર હલ્લો કરાવ્યો હતો અને તેના માર્ગમાં જ આ સ્થળ આવેલ છે તેથી અત્રે હુમલો થયો હશે તેમ માની શકાય.

આ તીર્થનું એક પ્રાચીન નામ ભીમમલ્લી પણ હતું. વિક્રમના ચૌદમા સૈકામાં વિનાશની આંધી ઉતરી આવી. આ નગરીનો નાશ થશે એવી આગાહી આચાર્ય દેવ શ્રીમદ્ સોમપ્રભુસુરીજી મહારાજે કરીને સાચી ઠરી. તે સમયે આચાર્ય દેવ શ્રીમદ્ સોમપ્રભુ સૂરિજી મહારાજ આ નગરીમાં ચાર્તુમાસ રહ્યા હતા. શ્રુતજ્ઞાાનના બળથી તેમણે આ નગરીનો નાશ તરત થવાનો છે તેમ જાણી પ્રથમ કાર્તિક ચતુર્દશી એમ ચાર્તુમાસિક પ્રતિક્રમણ કરી ભીમપલ્લી છોડી તેઓ રાધનપુર ચાલ્યા ગયા. આચાર્ય દેવની ઇચ્છાને માન આપીને શ્રાવકો પણ નગરી છોડી અને રાધનપુર જઈ વસ્યા.

શ્રી સોમપ્રભસૂરિજીનો સાધુકાળ સં. ૧૩૨૧ થી ૧૩૭૩ સુધીનો છે. આ સમયગાળાના મધ્ય કાળમાં આ નગરીનો નાશ થયો હોય તેમ સંભવિત છે. વિ.સ. ૧૩૫૩ માં ગુજરાત સર કરવા નીકળેલ અલ્લાઉદીનની તુરકાણ સેના આ માર્ગથી નીકળી હોય અને આ નગરીને બાળી નાંખી હોય.

થોડા વર્ષો બાદ ભીમપલ્લી ફરી વસ્યું. ૧૮૭૨માં ભીલડી નામનું ગામ વસ્યું. પંન્યાસજી શ્રીમાન ઉમેદવિજયજી વિહાર કરતાં સં. ૧૯૨૬ ની સાલમાં દર્શનાર્થે ભીલડીયાજી પધાર્યા.

તેમણે શ્રી પાર્શ્વનાથજીની યાત્રા કરી. દેરાસર અને મૂર્તિની પ્રાચીનતા તથા ભવ્યતા જોઈ આનંદ પામ્યા. યાત્રાળુઓ આવે અને સારી સગવડ મળે તે માટે ડિસા શહેરના શ્રાવકો ને ભીલડિયા પાર્શ્વનાથજી તીર્થને વધારે પ્રકાશમાં લાવવા ઉપદેશ કર્યો. એ ઉપદેશને ડિસાના વિવેકી જૈનોએ બરાબર ઝીલ્યો અને ધીમેધીમે આ તીર્થનો વિકાસ થયો ને વધારે દીપતુ પ્રસિદ્ધ તથા સારી સગવડ અને વ્યવસ્થાવાળુ બનાવ્યું.

સંવત ૨૦૨૭ના ફાગણ સુદ ૧૧ ઘણી જ ધામધૂમથી શ્રી પાર્શ્વનાથ ભગવાન તેમજ બીજા બધા ભગવાનને નવીન બંધાયેલ મનોહર દેરાસરમાં પ્રવેશ કરાવવામાં આવ્યો. આ તીર્થની ભૂમિ પણ પ્રભાવશાળી હોવાથી શ્રી ભીલડીયાજી પાર્શ્વનાથ પ્રભુજીના આ તીર્થમાં બાવન જિનાલય નિર્માણ કરવાનું નક્કી થયુ અને મૂળ દેરાસરની ભવ્યતાને અનુરૃપ બાવન જિનાલયની પણ ભવ્ય રચના થઈ.

આ તીર્થમાં પહેલી જ વારના દર્શનથી અંતરાત્મામાં ભવ્ય ભાવો ઉત્પન્ન થાય છે. સંસારમાં ભટકતા અને અશાંતિ અનુભવતા લોકો માટે આ ભીલડીયાજી શ્રી પાર્શ્વનાથજીનું મંદિર એ પથદર્શક છે.

Comments (0)add comment

Write comment
You must be logged in to post a comment. Please register if you do not have an account yet.

busy
 
< Prev   Next >
img2-subscription.jpgimg2-feedback.jpg