No account yet? Register | Lost Password?
  :: સચિન તેંડુલકર ની સિદ્ધિ ઃ ૨૦ વર્ષમાં ૩૦,૦૦૦ રન   :: ધોની- હરભજને પાર્ટનરશીપમાં રૃ.૨૩ કરોડની ઑફિસ ખરીદી   :: પ્રિયંકાએ કાર હંકારી રાહુલ ગાંધીને અમેઠીમાં ફેરવ્યા   :: પંજાબ પોલીસે પહેલવાન ખલીને સસ્પેન્ડ કર્યો   :: મધુ કોડાની ધરપકડ કરવા એન્ફોર્સમેન્ટની ચેતવણી   :: ભારતને ગંદકી માટેનું નોબેલ મળી શકે છે ઃ જયરામ રમેશ   :: મોબાઇલ પોર્ટેબિલિટી માટે રૃ.૧૯ ફી નક્કી કરતી ટ્રાઇ   :: શેરડીના પ્રાપ્તિભાવોમાં સુધારો કરવાની સરકારની બાંયધરી   :: દિલ્હી સરકારે ઊંચી વગને કારણે મનુને પેરોલ આપ્યા   :: સંક્ષિપ્ત સમાચાર   :: ગંભીર અને તેંડુલકરની સદી ઃભારત અને શ્રીલંકા વચ્ચેની પ્રથમ ટેસ્ટ ડ્રો   :: ભારતે ટેસ્ટ શ્રેણી જીતવા માટે પ્રથમ ઇનિંગમાં જંગી સ્કોર કરવો પડશે   :: ધીમી પીચ પર ગંભીર, તેંડુલકરે અમારી આશા પર પાણી ફેરવ્યું   :: મોટેરાની પીચ જોઇ બોલરો પણ દયા આવતી હતીઃધોની   :: બેટ્સમેનોના જોરદાર દેખાવથી અમારો આત્મવિશ્વાસ વધ્યો છે   :: ભારતીય અર્થતંત્ર ફરી ૯ ટકાનો વિકાસદર નોંધાવશે ઃ વડાપ્રધાન   :: મનમોહનના માનમાં યોજાનારા ડીનરમાં ભાગ લેવા પડાપડી   :: પોપકોર્ન સાથે ઠંડાપીણાની મઝા એટલે 'કેલરી બોમ્બ'   :: કોસ્મેટિક બનાવવા માનવીની હત્યા કરી ચરબી વેચતી ગેન્ગ   :: સચિનની સિદ્ધિ ઃ ૨૦ વર્ષમાં ૩૦,૦૦૦ રન   :: બેંક શેરોની આગેવાનીમાં યુ-ટર્ન ઃ સેન્સેકસ આરંભિક ૧૫૦ પોઇન્ટનો ઘટાડો પચાવી ૨૩૬ ઉછાળે ફરી ૧૭૦૨૨   :: સોનું-ચાંદી, એરંડામાં તેજીની આગેકૂચ   :: NRi મતદારો અનેક દેશોની ચુંટણીમાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે   :: લિબીયાનાં સરમુખત્યાર ગદ્દાફીનું નવુ કારસ્તાન   :: આકાશમાં ઉડતાં પક્ષીઓની વિમાન સાથેની અથડામણથી એરલાઈન કંપનીઓને કરોડોનું નુકસાન   :: મુખ્ય શેરોની વધઘટ.   :: વિવિધ ગંજબજારનાં ભાવ.   :: વિવિધ બજારો   :: છેલ્લા ભાવ   :: ઝારખંડ વિસ્તારમાં માઓવાદીઓએ બંધ જાહેર કર્યો   :: જાલી નોટોની હેરાફેરી માટે યુવક પકડાયો   :: ત્રિપુરાના બે આતંકવાદી શરણે આવ્યા   :: મુંબઇ પરના હુમલા વખતે આતંકવાદીઓ પર ગેસ છોડવાનો હતો પણ...   :: ખડી પડેલી ટ્રેનના ઇજાગ્રસ્ત ઉતારુઓને રાહત અપાઇ   :: અફઘાન શહેર હેરાતમાં બોંબ વિસ્ફોટથી ૧૨ નાં મરણ   :: પાકિસ્તાને ભારતથી શા માટે ડરવું પડે ઃ મનમોહન સિંઘ   :: વોટરગેટ કૌભાંડની તપાસ ફરી શરૃ કરાશે   :: ક્લીન્ટન મનમોહન સિંઘ સાથે વ્યૂહાત્મક મુદ્દા ચર્ચશે   :: પેશાવરમાં પોલીસ પાર્ટી પર બોંબ હુમલો ઃ બેનાં મરણ   :: મુકેશ અંબાણી રૃ.૧,૫૩૬ અબજની સંપત્તિ સાથે સૌથી ધનિક ભારતીય   :: મનમોહનસિંહને અમેરિકી કોંગ્રેસનું અભૂતપૂર્વ માન   :: પેઇન કિલર્સ કેન્સરના સેલમાં વધારો કરતી હોવાનું તારણ   :: ધુમ્રપાનની કુટેવ છોડાવવામાં મદદરૃપ થતી રસીની શોધ   :: શેરડીના ભાવને મુદ્દે સંસદની કામગીરી ઠપ   :: ચેન્નઇમાં સ્વિમિંગ પુલ અને જીમ સાથેના રૃ.૧૦ કરોડનો વૈભવી ફ્લેટ   :: મુંબઇ પોલીસે ત્રણ આરોપીઓને ગળે પાટિયાં લટકાવી જાહેરમાં ફેરવ્યા   :: આતંકવાદી ડેવિડ હેડલી મુંબઈના ડાન્સ બારનો ભારે શોખીન હતો   :: બોરીવલીમાં પોલીસ એન્કાઉન્ટરમાં છોટા શકીલના બે ગુંડા ઠાર મરાયા   :: ફિલ્મ સર્જક મહેશ ભટ્ટે વડા પ્રધાનને પત્ર લખી મધ્યસ્થી કરવા કહ્યું   :: મધ્યાહ્ન ભોજનમાં હવે વધુ કઠોળ અને શાકભાજી અપાશે   :: શેરડી મુદ્દે ભાજપ લોકસભા મોકૂફીનો પ્રસ્તાવ રજૂ કરશે   :: મધુ કોડા પાસે ચાર વર્ષ પહેલાં માત્ર ૧૩ લાખની સંપત્તિ હતી   :: બળાત્કારનો ભોગ બનેલી મહિલાને ૨૫ વર્ષ પછી રૃ. ૮ લાખ વળતર   :: સંક્ષિપ્ત સમાચાર   :: શ્રીલંકાએ ૭૬૦ રનનો જંગી જુમલો ખડકીને રેકોર્ડની હારમાળા સર્જી   :: આજે ભારતને હરાવવા માટે મેં વ્યૂહરચના ઘડી રાખી છે   :: શ્રીલંકાએ ભારતની ધરતી પર સૌથી મોટો જુમલો ખડક્યો   :: માંહેલા અને પ્રસન્ના જયવર્દનેએ ૭૨ વર્ષ જુનો વર્લ્ડ રેકોર્ડ તોડયો   :: તેંડુલકરને ક્રિકેટ ઇતિહાસનો સૌથી મહાન બેટસમેન જ કહેવાય   :: હૈદરાબાદના ૨૩૬ સામે ગુજરાતે ચાર વિકેટે ૨૬૩ રન નોંધાવ્યા   :: રણજી ટ્રોફીમાં બરોડાના ૨૩૪ સામે ઉત્તર પ્રદેશ ૨૪૦ રનમાં ઓલઆઉટ   :: રીયાલ્ટી, બેંક, સુગર શેરોમાં ફંડોની ધૂમ વેચવાલી સેન્સેકસ ૨૧૩ પોઇન્ટ ઘટીને ૧૬૭૮૬ મથાળે   :: એરંડા ડિસે. વાયદાએ રૃા. ૩૦૦૦ની સપાટી કૂદાવી   :: મુખ્ય શેરોની વધઘટ.   :: વિવિધ ગંજબજારનાં ભાવ.   :: વિવિધ બજારો   :: છેલ્લા ભાવ   :: પુડુચેરીમાં સભા-સરઘસબંધીના આદેશ જારી   :: મુસ્લિમોને રીઝવવાના સપાના પ્રયાસો નિષ્ફળ   :: શેરડીના ભાવના પ્રશ્ને સંસદની બેઠક મોકૂફ   :: ચૂંટણી વખતે કોડાએ એક કરોડની સંપત્તિ જાહેર કરેલી   :: ભારતીય વડા પ્રધાનની અમેરિકા મુલાકાતને વધાવતો ઠરાવ   :: તહવ્વર રાણાની સુનાવણી ૨ ડિસેંબર સુધી મોકૂફ   :: શેખ મુજિબુર રહેમાનના હત્યારાઓની મોતની સજા બહાલ   :: ભારતના ભોગે ચીન સાથે દોસ્તી કભી નહીં ઃ અમેરિકા   :: અમે જાણી કરીને ખસી ગયા છીએ ઃ તાલિબાનનો પાક લશ્કરને જવાબ   :: પેશાવરમાં બોંબ વિસ્ફોટ ઃ ૧૫ નંા મોત   :: લંડનમાં એનઆરઆઇ મહિલાની કરપીણ હત્યાથી ખળભળાટ   :: ભારતીય ડૉક્ટર પર હુમલાના આરોપીઓને ૧૦થી ૧૮ વર્ષની જેલ   :: મુશર્રફ પાક.ના અણુ કાર્યક્રમની માહિતી અમેરિકાને આપતા હતા   :: પાક.માં સૈન્ય કાર્યવાહીથી તાલિબાન, અલકાયદાના ત્રાસવાદીઓ અદ્રશ્ય   :: રાણા વિરુદ્ધ ચાર્જશીટ રજૂ કરવા FBIને વધુ ૫૮ દિવસ અપાયા   :: ઈમરાન હાશ્મી, કંગના રાણાવત, તારા શર્મા, આરતી અને કુણાલ કપૂરનો ઉલ્લેખ   :: મુંબઈના નરીમાન હાઉસ પર હુમલાની આજે ઇઝરાયેલમાં વર્ષી   :: સોનાનાં ભાવ ૧૦ ગ્રામના રૃ. ૧૭,૩૭૦ની ટોચે   :: પ્લીઝ, મને ભાવિ વડાપ્રધાન તરીકે ન ગણો ઃ રાહુલ ગાંધી   :: ટ'ના કારણ વિશે નિષ્ણાતોનું તારણ પ્રદૂષિત પાણી પાસે ઉગાડેલાં શાકભાજીથી 'વાઇ' લાગુ પડે છે મુંબઇ, તા.૧૮   :: બીજી પત્નીને પણ રહેમરાહે નિમણૂક મેળવવાનો અધિકાર   :: રતન તાતાના અનુગામી હવે ભારતની બહારના હોઇ શકે   :: કોઇ પણ યોગ્ય સમજૂતીને સરકારની મંજૂરી જરૃરી છે   :: બિહારમાં માથાદીઠ વિકાસ ખર્ચ અન્ય બધાં રાજ્યો કરતા સૌથી ઓછો   :: દેશના સરહદી નગરોને વધુ ઔરૃ. ૧૦૦ કરોડની ફાળવણી થશે   :: સંક્ષિપ્ત સમાચાર   :: જયવર્દનેના અણનમ ૨૦૪ઃભારત સામે શ્રીલંકાના પાંચ વિકેટે ૫૯૧ રન   :: નિર્જીવ પીચ પર રનનો પર્વત ઃ ત્રણ દિવસની રમતમાં ૧૫ વિકેટે ૧૦૧૬ રન   :: મહારાષ્ટ્ર સામે સૌરાષ્ટ્રના ૩ વિકેટે ૫૪૪ ડિક્લેર   :: ઉત્તર પ્રદેશ સામે વડોદરાના ૨૩૪   :: શ્રીલંકાએ ભારતની ધરતી પર પહેલી વખત ૪૫૦ થી વધુનો સ્કોર કર્યો   :: શ્રીલંકાએ અમદાવાદમાં સૌથી વધુ સ્કોરનો રેકોર્ડ તોડયો   :: ટાટા, મેટલ શેરોમાં મજબૂતી- નરમ રિલાયન્સ શેરો
shat.jpg
અતિ પ્રાચીન - પ્રભાવશાળી અને શ્રી ભિલડીયાજી પાર્શ્વનાથજી તીર્થ.. Print E-mail
ધર્મલોક
Written by GS News   
Wednesday, 17 September 2008
શ્રી ભિલડીયાજી પાર્શ્વનાથજી તીર્થ

આ તીર્થ અને પ્રતિમાજીના અનેક ચમત્કારોની વાતો આજે પણ ચર્ચાય છે

tirth.jpgજેનાથી સંસાર સાગરમાં ડૂબતા ને ઉગારી લઈ મોક્ષ પહોંચાડે તેનું નામ તીર્થ. આ ન્યાયે દરેક પ્રતિમાજી અને દેરાસર તીર્થ છે. છતાં તીર્થ શબ્દ તીર્થંકરોના કલ્યાણકો થયા હોય અથવા ભાવને વિશેષ પ્રકારે ઉત્પન્ન કરનારી જયાં ખાસ વિશિષ્ટતા હોય ત્યાં જ રુઢ થયેલ છે.

આવું જ એક તીર્થ પાલનપુર થઈ ડિસાથી ૨૦-૨૫ કિલોમીટર દૂર આવેલ ભીલડીયાજી તીર્થ છે. ભીલડીયાજી પાર્શ્વનાથની પ્રતિમાવાળા દેરાસરને તીર્થ કહેવામાં આવ્યું છે. તેના સાનિધ્ય માત્રથી માણસના આત્મામાં અદ્ભૂત ભાવ, સમ્યકત્વથી જાગૃત કરવાની પ્રબળ ભાવના અસ્તિત્વમાં આવે છે.

અતિ પ્રાચીન શ્રી પાર્શ્વનાથજીની પ્રતિમા
અદ્ભૂત ચમત્કારભરી હોવાથી તેને ભીલડીયાજી પાર્શ્વનાથજી તરીકે ઓળખવામાં આવે છે અને તે પ્રતિમા સંપ્રતિ મહારાજાએ ભરાયેલી હોય તેમ જણાય છે.

બે બાજી કાઉસ્સગિયા શિખરબંધ દેવગૃહ ઉપર સમફણાધારી ધરવોદિ તથા નવગ્રહ, યક્ષ શાસન દેવતા વગેરેથી ખૂબજ સુશોભિત પરિકરમાં સાથે જ કોતરાયેલી આ પ્રતિમા શ્યામ, સુંદર ઘાટીલી અને આકર્ષક મન મોહી તથા દેદિપ્યમાન છે.

અતિ પ્રભાવશાળી જૈન પ્રતિમાની ગણના કરવામાં આવે છે.
આ તીર્થ અને પ્રતિમાના ચમત્કારો અંગે અનેક વાતો ચર્ચાય છે.
ભીલડીયાજી પાર્શ્વનાથજીની આ મૂર્તિ પ્રાચીન સમયમાં મંદિરમાં મુખ્ય ગાદી પર નહિં પણ ભોંયરામાં
 મૂળનાયકજી શ્રી નેમનાથ પ્રભુની મૂર્તિની ડાબી બાજુ ચોકીના ભારવટનીચે બિરાજમાન હતી. વિ.સ. ૧૮૭૨ અગાઉ ભીલડી ગામ વસ્યુ નહોતુ તે અગાઉ અત્રે નાશ પામેલ નગરના અવશેષવાળા નિર્જન અને ઝાડીયાળુ-ઉજ્જડ સ્થળ હતું. સરીપદ ગામના શ્રાવકોએ ભોંયરામાં જઈને જયારે પ્રતિમાજીને ગાદી ઉપરથી ઉત્થાપી અને ત્યાંથી બહાર કાઢવા માંડી ત્યારે તે ગભારાના બારણાના ઉપરના ભાગે અટકી પડે તે રીતે ઉંચાઈમાં વધી ગઈ, ત્યારે મોટા પ્રમાણમાં જંગલી ભમરા ઉડવાનો દેખાવ થયો. આથી શ્રાવકોએ માફી માગી અને પ્રતિમાજીને પોતાની અસલ જગ્યાએ ગોઠવી દીધી.

જુદા જુદા મંતવ્યો ને વિવિધ પુરાવા વચ્ચે અમુક અવશેષો અને આધારો વચ્ચે એક વાત જરૃર કહી શકાય કે અહિં મોટી નગરી હતી. તેમાં શ્રી પાર્શ્વનાથ જિનમંદિર પોતાના ચમત્કાર અને પ્રતાપથી અગ્રસ્થાને હતું. ચૌદમી સદીના મધ્ય ભાગ સુધી નગરીનો સૂર્ય સોળેકળાએ પ્રકાશતો હતો. ત્યાર પછી તે ગમે તે કારણસર નગરી નાશ પામી. તેમાંથી બચી શકયું માત્ર શ્રી પાર્શ્વનાથજીનું મંદિર - જો કે તેની હાલત ખંડિત હતી. શ્રી પાર્શ્વનાથજીની મૂર્તિ પણ ઉપરની મુખ્ય ગાદી પરથી ખસેડવામાં આવતા તે બચી શકી.
મુસલમાનોએ પાટણ ઉપર હલ્લો કરાવ્યો હતો અને તેના માર્ગમાં જ આ સ્થળ આવેલ છે તેથી અત્રે હુમલો થયો હશે તેમ માની શકાય.

આ તીર્થનું એક પ્રાચીન નામ ભીમમલ્લી પણ હતું. વિક્રમના ચૌદમા સૈકામાં વિનાશની આંધી ઉતરી આવી. આ નગરીનો નાશ થશે એવી આગાહી આચાર્ય દેવ શ્રીમદ્ સોમપ્રભુસુરીજી મહારાજે કરીને સાચી ઠરી. તે સમયે આચાર્ય દેવ શ્રીમદ્ સોમપ્રભુ સૂરિજી મહારાજ આ નગરીમાં ચાર્તુમાસ રહ્યા હતા. શ્રુતજ્ઞાાનના બળથી તેમણે આ નગરીનો નાશ તરત થવાનો છે તેમ જાણી પ્રથમ કાર્તિક ચતુર્દશી એમ ચાર્તુમાસિક પ્રતિક્રમણ કરી ભીમપલ્લી છોડી તેઓ રાધનપુર ચાલ્યા ગયા. આચાર્ય દેવની ઇચ્છાને માન આપીને શ્રાવકો પણ નગરી છોડી અને રાધનપુર જઈ વસ્યા.

શ્રી સોમપ્રભસૂરિજીનો સાધુકાળ સં. ૧૩૨૧ થી ૧૩૭૩ સુધીનો છે. આ સમયગાળાના મધ્ય કાળમાં આ નગરીનો નાશ થયો હોય તેમ સંભવિત છે. વિ.સ. ૧૩૫૩ માં ગુજરાત સર કરવા નીકળેલ અલ્લાઉદીનની તુરકાણ સેના આ માર્ગથી નીકળી હોય અને આ નગરીને બાળી નાંખી હોય.

થોડા વર્ષો બાદ ભીમપલ્લી ફરી વસ્યું. ૧૮૭૨માં ભીલડી નામનું ગામ વસ્યું. પંન્યાસજી શ્રીમાન ઉમેદવિજયજી વિહાર કરતાં સં. ૧૯૨૬ ની સાલમાં દર્શનાર્થે ભીલડીયાજી પધાર્યા.

તેમણે શ્રી પાર્શ્વનાથજીની યાત્રા કરી. દેરાસર અને મૂર્તિની પ્રાચીનતા તથા ભવ્યતા જોઈ આનંદ પામ્યા. યાત્રાળુઓ આવે અને સારી સગવડ મળે તે માટે ડિસા શહેરના શ્રાવકો ને ભીલડિયા પાર્શ્વનાથજી તીર્થને વધારે પ્રકાશમાં લાવવા ઉપદેશ કર્યો. એ ઉપદેશને ડિસાના વિવેકી જૈનોએ બરાબર ઝીલ્યો અને ધીમેધીમે આ તીર્થનો વિકાસ થયો ને વધારે દીપતુ પ્રસિદ્ધ તથા સારી સગવડ અને વ્યવસ્થાવાળુ બનાવ્યું.

સંવત ૨૦૨૭ના ફાગણ સુદ ૧૧ ઘણી જ ધામધૂમથી શ્રી પાર્શ્વનાથ ભગવાન તેમજ બીજા બધા ભગવાનને નવીન બંધાયેલ મનોહર દેરાસરમાં પ્રવેશ કરાવવામાં આવ્યો. આ તીર્થની ભૂમિ પણ પ્રભાવશાળી હોવાથી શ્રી ભીલડીયાજી પાર્શ્વનાથ પ્રભુજીના આ તીર્થમાં બાવન જિનાલય નિર્માણ કરવાનું નક્કી થયુ અને મૂળ દેરાસરની ભવ્યતાને અનુરૃપ બાવન જિનાલયની પણ ભવ્ય રચના થઈ.

આ તીર્થમાં પહેલી જ વારના દર્શનથી અંતરાત્મામાં ભવ્ય ભાવો ઉત્પન્ન થાય છે. સંસારમાં ભટકતા અને અશાંતિ અનુભવતા લોકો માટે આ ભીલડીયાજી શ્રી પાર્શ્વનાથજીનું મંદિર એ પથદર્શક છે.

Comments (0)add comment

Write comment
You must be logged in to post a comment. Please register if you do not have an account yet.

busy
 
< Prev   Next >
img2-subscription.jpgimg2-feedback.jpg